વૈષ્ણવજન તો તેને રે! કહીએ

←  મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો
      માણવા આ બારી પર ક્લિકો!

સાભાર - શ્રી. માવજી ભાઈ,  વિનોદ પટેલ

વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે
- નરસિંહ મહેતા

ક્લીક કરો અને સાંભળો... અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં
૧૨૪ દેશોમા....
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *