અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા,

ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઇ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઇ જા.

તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી સકળ નદીનાં તે ગામ વહે;

વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થયું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,

કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;

સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,

ક્ષમાદૃષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથજી ! ધરું.

     -    કવિ ન્હાનાલાલ

આખી પ્રાર્થના અહીં વાંચો અને સાંભળો...

     

     -   નિરંજન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *