બનાસકાંઠા જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

   બનાસકાંઠા જિલ્લો ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, ધાનેરા, ઈકબાલગઢ, લખની, પાલનપુર, કાંકરેજ (શિહોરી), સુઈગામ, થરાદ, વડગામ, વાવ – એમ કુલ ૧૪ તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં  ૧,૨૪૯  જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩  ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી ૩૧ લાખથી વધુ છે. ૬૫%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

      જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અત્તર અને હીરાઉદ્યોગ માટે જાણીતું છે. આ જિલ્લો વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે પ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યનું મોટામાં મોટું તીર્થધામ અંબાજી આ જિલ્લામાં આવેલું છે, જ્યાં આરસપહાણની ખાણ છે અને તાંબું પણ ખનિજરૂપે મળે છે.

     અંબાજી પાસેનાં કુંભારિયાજીના જૈન દેરાં પુરાણી કોતરણી માટે વિખ્યાત છે. પાલનપુર પાસે બાલારામ ઝરણું, મંદિર ને ચંદનના વૃક્ષના જંગલ તેમજ ઉદ્યાન માટે જાણીતું છે. બાલારામમાં ગુજરાતની પ્રખ્યાત હેરીટેજ હોટેલ પણ આવેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનુ કેન્દ્ર છે.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- -- -- -- --
બનાસકાંઠા જિલ્લો
અંબાજી મંદિર
આરસપહાણની ખાણ, અંબાજી
કુંભારિયાનાં દહેરાં
બાલારામ પાસેના જંગલમાં
બાલારામ પેલેસ રિઝોર્ટ
દાંતીવાડા યુનિવર્સિટી
કાંકરેજી ગાય
કાંકરેજી ગાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *