બોટાદ જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

     બોટાદ જિલ્લો બરવાળા, બોટાદ, ગધાડા અને રાણપુર – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 185 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,564 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.

    અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓમાંથી બે-બે તાલુકા લઈને બનાવવામાં આવેલ આ જિલ્લો ફક્ત 4 તાલુકા સાથેનો સૌથી નાનો જિલ્લો છે. બોટાદ જિલ્લામાં ખાસ કોઈ ઔદ્યોગિક વસાહતો નથી. એક રીતે જોવા જઈએ તો બોટાદ જિલ્લો કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ અને પાંચાલ પ્રદેશને જોડે છે. હનુમાનજીનું અદ્ભુત મંદિર સાળંગપુર ખાતે આવેલ છે, જે ગુજરાતનું એક અતિમહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. 


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

બોટાદ જિલ્લો
સાળંગપુર હનુમાન મંદિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *