ભરૂચ જિલ્લો

સાભાર - ગુજરાતી લેક્સિકોન

ગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.

     ભરૂચ જિલ્લો આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરા અને વાલિયા – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 663 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 6,524 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 81%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

      આ જિલ્લાનું મુખ્ય મથક ભરૂચ ગુજરાતનું બંદર સ્વરૂપનું જૂનામાં જૂનું પ્રથમ નગર છે. તેલના કૂવા માટે જાણીતું અંકલેશ્વર ભરૂચની જોડે જ આવેલું છે. અંકલેશ્વરમાં રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગ ખીલ્યા છે. નર્મદાતટે શુક્લતીર્થ આ જિલ્લાનું પવિત્ર તીર્થ છે. શુક્લતીર્થ પાસે કબીરવડ છે, જે એના વિશાળ કદ અને એની પ્રાચીનતા માટે પ્રસિદ્ધ છે.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

--
ભરૂચ જિલ્લો
GNFC bharuch
કબીરવડ

One thought on “ભરૂચ જિલ્લો”

  1. સરસ ,ભરૂચ વિશે જરૂર એક લેખ આપને મોકલું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *