એક મહત્વકાંક્ષી કિશોરનો હાથ જોઇ કોઇ જ્યોતિષીએ એને કહ્યું-
‘એક વિદ્યાની રેખા સિવાયની તારી બધી રેખા સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવી શકીશ. પણ વિદ્યા નહીં. કારણકે એની રેખા તારા હાથમાં બહુ ટૂંકી અને અસ્પષ્ટ છે.’
‘ તો વિદ્યા વિનાની ર્કીતિ અને સમૃદ્ધિને મારે શું કામની ? વિદ્યાની રેખા નથી તો હું એ બનાવીશ’, કહી એણે જ્યાંથી એ રેખા અટકતી હતી ત્યાંથી હાથમાં લાંબો ઊંડો ચીરો પાડયો ને નવી રેખા કોરી કાઢી.
આ વિદ્યાર્થીતે આપણા વ્યકરણ કર્તા અને વિદ્ધાન પાણિની.