જેવું ઘડતર – શ્રી. હસમુખ પટેલ

      લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો છસો રૂપિયા ઊપજે. અને નાળ કે સોયના બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો પચાસ હજાર રૂપિયા ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય.

     માણસ વિશે પણ એવું જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *