નૈયા ઝુકાવી મેં તો…

 - 

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના

ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

 

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે

કોઇનું કોઇ નથી દુનીયામાં આજે

તનનો તંબુરો જોજે બેસુરો થાય ના

ઝાંખો ઝાંખો દીવો….

 

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા

રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા

જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના

ઝાંખો ઝાંખો દીવો….

 

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે

નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે

મનને મંદીર જોજે અંધકાર થાય ના

ઝાંખો ઝાંખો દીવો….

     - સાભાર -  વિનોદ પટેલ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *