થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે – કૃષ્ણકાંત ઉનડકટ

સ્ટ્રેસ એ આજના સમયની સૌથી મોટી

સમસ્યા છે. મોટાભાગના મેન્ટલ ડિસઓર્ડર

માટે સ્ટ્રેસ કારણભૂત છે. જોકે

એક અભ્યાસમાં એવી વાત બહાર આવી છે કે

થોડોક સ્ટ્રેસ ફાયદાકારક છે.

કોઇપણ સંજોગોમાં સ્ટ્રેસ હદથી વધી જવો

ન જોઇએ. સ્ટ્રેસને મેનેજ કરતા આવડવું આજના

સમયમાં સૌથી વધુ જરૂરી છે.

કોઇપણ માણસ જો એમ કહે કે મને ક્યારેય સ્ટ્રેસ લાગતો નથી તો એ વાત ખોટી હોય છે. હા, જે લોકો સ્ટ્રેસથી મુક્ત રહે છે એ એવું કહી શકે કે હું મારા સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકું છું. ગમે તે વાત હોય સ્ટ્રેસને મારા પર હાવી થવા દેતો નથી. અત્યારનો સમય જ એવો છે કે કોઇ માણસ સ્ટ્રેસથી મુક્ત રહી જ ન શકે. આપણી લાઇફ સ્ટાઇલ, પર્યાવરણ અને આપણા કામે આપણને સ્ટ્રેસમાં રહેવા મજબૂર કરી દીધા છે. માનવજાત સામે અત્યારે સૌથી મોટી જો કોઇ ચેલેન્જ હોય તો એ છે સ્ટ્રેસ. આખી દુનિયા અત્યારે તનાવના ભાર નીચે દબાયેલી છે.

દસમા અને બારમા ધોરણનો સ્ટ્રેસ યાદ આવી ગયો ને? 

 

 

                                      તો આ લેખ જરૂર વાંચજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *