પ્રભાવશાળી વ્યક્તિત્વ માટેની ટિપ્સ

ડૉ. સંજય કોરિયા

        દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા અને પોતાને લોકપ્રિય બનાવવા સતત પ્રયત્ન કરતો હોય છે. લોકપ્રિયતા વગરનું જીવન ભારરૂપ બની જાય છે. જો આપણે મનુષ્યના અમુક કાર્યને બાજુ પર મૂકી દઈએ તો માણસ અને પશુમાં મોટો તફાવત નથી. અસરકારક વ્યક્તિત્વ સૌ કોઈ ઝંખે છે. અહોં આપેલી ટીપ્સને અનુસરીને હર કોઈ વ્યક્તિ લોકપ્રિય અને પ્રભાવશાળી બની શકે છે. આ ટિપ્સ વાંચવી સહેલી છે. પરંતુ જો તેનો અમલ થાય તો વ્યક્તિત્વને ચાર ચાંદ લાગી જાય ! આ ટિપ્સને અનુસરો અને પ્રભાવશાળી બનો.

  • જીવનમાં પ્રગતિ કરવી છે તો તટસ્થતાપૂર્વક તમારું પોતાનું મૂલ્યાંક્ન જાતે જ કરો
  • કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે હસો નહીં, નહીંતર એક જ ક્ષણમાં તમારું મહત્વ ગુમાવશો.
  • દરેક વ્યક્તિને નમ્રતાથી સાંભળો. જો તેના વિચારો પાયાવિહોણા હોય અને તેની વાતમાં રસ ન હોય તો પણ શાંતિથી સાંભળો.
  • વાતચીત દરમિયાન માત્ર તમારી જ વાતો ન કરો.
  • જ્યારે કોઈ વ્યક્તિ તમારા માટે ગીફટ લાવે તો તેની પ્રશંસા જરૂર કરો. જો તે તમારી અપેક્ષાથી વિપરીત હોય તો પણ પ્રશંસા કરો.
  • જ્યારે ક્યારેય તમારી હાર થાય તો હિંમત રાખો અને ક્યારેય જીત થાય તો પણ નમ્ર રહો.
  • તમારી સમસ્યાનું સમાધાન સર્જનાત્મકતા દ્વારા લાવો. તમારી સમસ્યાથી તમારા મિત્રો સાથે સંબંધ ન બગડો.
  • તમારી ખરાબ ટેવોની યાદી બનાવી, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરો.
  • આપણે આપણા જીવનનું ધોરણ ઊંચુ લાવી ન શકીએ તો કાંઈ નહીં પણ અન્યોનું જીવન ઊંચું લાવવા પ્રયત્ન કરો. અન્યો સાથે પ્રેમભર્યું વર્તન કરી તેની લઘુતાગ્રંથી ઘટાડવામાં મદદ કરો.
  • બીજાને કંઈ પણ કહેવામાં સાવધ રહો. કારણ કે અન્યો પણ સમય આવ્યે એવું જ આપણને સંભળાવશે. તેમજ બીજા લોકોને આપણા વિશેનો અભિપ્રાય પણ સારો નહીં આપે.
  • કેટલાક લોકો એકના એક વાક્યનું વરંવાર રટણ કરતાં હોય છે. આવી ટેવમાંથી તરત જ મુક્તિ લઈ લો.
  • સ્વતંત્ર રીતે વિચારવુ અને મુક્તપણે કાર્ય કરવુ એ જ વિકાસ અને ઉન્નતિનો સ્ત્રોત છે.
  • વિશ્વની સૌથી જાદુઇ વસ્તુ પ્રેમ છે. પ્રેમની મદદથી જ સૌની સાથે વ્યવહાર કરો. વ્યક્તિત્વ ને નિખારવા આ કલાને અપનાવો.
  • માણસનું સાચું સૌંદર્ય તેના દેખાવમાં નથી. પરંતુ તેના કાર્ય અને સારા ગુણોમાં છે. એટલે જ વ્યક્તિત્વ ખિલવવા વિચારસરણી ને બદલો.
  • હકારાત્મક વિચારસરણી કોઈપણ વ્યક્તિત્વ માટે મહત્વની છે. સંકુચિત માનસના લોકોને કોઈ પસંદ કરતું નથી. સકારાત્મક અને તંદુરસ્ત વિચારસરણી અન્યોને પ્રભાવિત કરે છે. 
  • વારંવાર એકની એક વાત કહ્યે રાખવાથી સામેની વ્યક્તિને અણગમો થાય છે. આ આદતને ટાળો.

[ i stands for Info .... and also for Important ]

તમારી જાતને આ પ્રશ્નો પુછો અને વિચારો.

 

  • શું તમે તમારા બોસની સાથે જેવો વ્યવહાર કરો છો, તેવો જ વ્યવહાર ઘરના સભ્યો સાથે પણ કરો છો?
  • બીજા દ્વારા જ્યારે તમારી લાગણીઓને દુભાવવામાં આવી હોય ત્યારે તમે હસી શકો છો?
  • શું તમે એવી કાળજી લો છો કે તમારાથી કોઇની લાગણીને ઠેસ ન પહોંચે?
  • તમારાથી નાની વ્યક્તિની લાગણીઓને માન આપો છો?

પ્રેરક બિંદુ : બધાં વિશ્વને બદલવાની વાતો કરે છે, પોતાને બદલવાનું કોઈ વિચારતું નથી. 

– લિયો ટોલ્સ્ટોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *