નીચેના ચિત્રમાં હીટરની ઉપર ઊકળતા પાણીનો જાર છે.એમાં અડધે સુધી પાણી ભરેલો પ્યાલો તરે છે. એ પ્યાલામાંનું પાણી ઉકળશે કે નહીં?
ના..... કારણકે, એની આજુબાજુ આવેલ પાણી અને એ પ્યાલામાંનું પાણી - બન્ને ૧૦૦ અંશ સે. ઉષ્ણતામાન વાળા છે. આથી જારમાંથી પ્યાલામાં ગરમી વહી શકે નહીં. વધારાની ગરમી મળ્યા વિના પાણીની વરાળ ન થઈ શકે.
(એને વરાળ બનવા માટેની ગુપ્ત ગરમી કહેવાય છે.)