‘વિચાર’નો ઉમેરો’

Q.logo_400x400.jpg

      અમને જણાવતાં આનંદ થાય છે કે, અમારા ટેક્નિકલ એડમિન શ્રી. ચિરાગ પટેલે એક બહુ જ સરસ બાબત ઈ-વિદ્યાલયને ઉમેરી આપી છે. 

વિચારતા કરી દે
તેવો વિચાર !

      જે કોઈ વાચક મિત્રને આવા વિચારોમાં ઉમેરો કરવાનું મન થાય, તેમને આ જાહેરાતની નીચે તે જણાવવા આમંત્રણ છે. 

ખોટી વસ્તુ કરવા માટે
કોઈ સમય સાચો નથી હોતો.
સાચી વસ્તુ કરવા માટે 
કોઈ સમય ખોટો નથી હોતો

**********

આ દુનિયામાં કોઈ પણ માણસ,
પોતાનો ભુતકાળ ખરીદવા જેટલો
ધનિક નથી હોતો.

કોઈ પણ ક્ષણ 
ન પહોંચી શકાય તેટલી 
જૂની થઈ જાય,
તે પહેલાં તેને માણી લો.

**********

જ્યારે તમે 
કડવાશને સંઘરો છો;
ત્યારે સુખ 
બીજે ક્યાંક 
સહારો લઈ લેતું હોય છે.

One thought on “‘વિચાર’નો ઉમેરો’”

  1. મારા સંગ્રહમાંથી આજે થોડા સુવિચારો ..

    ઘર છોડ્યા વગર રોજીંદા જીવનથી દૂર જવાનો એક માત્ર રસ્તો છે – કળા
    – ટ્વાઈલ થાર્પ

    મહાનતાની ઉંચાઈઓ સુધી પહોંચવા કોઈ રાજમાર્ગ હોતો નથી, એ તો કાચો ખરબચડો મુશ્કેલ રસ્તો જ હશે.
    – સેનેકા

    સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. – માર્શલ પ્રોસ્ટ

    તમે જે કામ, વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરતા હોવ તેના ખેંચાણમાં તમારી જાતને તણાઈ જવા દો. – રુમી

Leave a Reply to Vinod Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *